Posts

Showing posts from 2013

ધર્મની વ્યાખ્યા અને એવું બધુ...

ગાંધીજીનો એક પ્રખ્યાત વિચાર આજે ફરીથી નજર સામે આવી ગયો અને મને આ પોસ્ટ લખવાની પ્રેરણા મળી ગઈ. એ વિચાર કઇંક આવો છે. I like your Christ, I do not like your Christians. Your Christians are so unlike your Christ. ગાંધીજીએ કદાચ આ વાત ખ્રિસ્તીઓને સંબોધીને કહી હતી. અત્યારનાં સમય મુજબ હું આને વધારે વ્યાપક સંદર્ભમાં વિચારું છું. માત્ર ખ્રિસ્તીઓ નહીં , બધા જ ધર્મ માટે આ જ વાત લાગુ પડે છે. સમજવા માટે કેટલાક ઉદાહરણો જોઈએ. 1)    વર્ષમાં ત્રણ વખત અલગ અલગ ધામોની યાત્રા કરનાર ધનિક પરિવારની સ્ત્રીઑને એકલા ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી. જે ધર્મ વર્ષે ત્રણ વાર યાત્રા કરવાની ફરજ પાડે છે એ જ ધર્મ સ્ત્રીઓનું શોષણ કરવાની પરવાનગી આપે એવું હું માનતો નથી. 2)    દર અઠવાડિયે શનિવાર અને દર મહિને અગિયારસ રાખનાર વ્યક્તિ ક્રિકેટ મેચમાં સટ્ટો રમે છે. સટ્ટામાં જીતવા માટે માનતા માને છે. હવે જે ધર્મ નીતિમત્તા , પ્રમાણિક્તા અને સત્યનિષ્ઠાનાં પાઠ ભણાવે છે એ જ ધર્મ સટ્ટો રમવાની પરવાનગી પણ આપે એવો વિરોધાભાસ શા માટે ? 3)    દીકરા લગ્ન વખતે દરેક મુહૂર્ત સાચવવાંની કાળજી લેનાર વડીલો લગ્ન પછી પુત્રવધૂ પર દહેજ

વાંચન, પુસ્તક અને એવું બધું...

ગુજરાતનાં પ્રતિષ્ઠિત લેખક શ્રી ગુણવંત શાહએ ક્યાંક કહ્યું છે કે, 'જો તમે ભણેલા છો અને પુસ્તકો નથી વાંચતાં તો તમારા અને અભણ માણસ વચ્ચે બહુ વધારે ફર્ક નથી'.  આ વિચાર સાથે હું સંપૂર્ણ પણે સહમત છું.  હું માનું છું કે દરેક મા-બાપ અને શિક્ષકોની એ ફરજ છે કે તેઓ બાળકોમાં વાંચન પ્રત્યેની રુચિ જગાડે.  અને આવું કરવામાં જ બાળકનું હિત રહેલું છે. એકવાર કોઈને વાંચનનો ચસ્કો લાગ્યો તો પછી તે દુનિયાભરનું જ્ઞાન પુસ્તકો વાંચીને જાતે જ લઈ શકશે. મારામાં રહેલા પુસ્તક પ્રેમ માટે હું મારાં મા-બાપ / શિક્ષકો નો આભારી છું. મે લગભગ દોઢેક વરસથી વાંચનનાં શોખને બ્રેક મારીને પ્રોગ્રામિંગનાં પ્રેમને પ્રાયોરિટી આપેલી. આખરે બે-એક મહિના પહેલાંથી ફરી પાછું વાંચવાનું ચાલું કર્યું છે. મારી વાંચન પ્રવૃતિ આ જગ્યાએ અપડેટ કરું છું. ક્યારેક સમય મળ્યે કોઈ પુસ્તકનો રિવ્યૂ પણ આપીશ. અત્યારે મારાં મનગમતા કેટલાક પુસ્તકોનો પરિચય... 1) માણસાઈનાં દીવા - ઝવેરચંદ મેઘાણી આઝાદીની ચળવળના સમયે શ્રી રવિશંકર મહારાજનો ગુજરાતનાં ચરોત્તર અને ખેડા પ્રદેશનાં સામાજિક વિકાસમાં મોટો ફાળો રહેલો છે. આદિવાસી અને ગામડાનાં માણસોને તેમની ભાષા

(ત્રીજી પોસ્ટ, ) બૉલીવૂડ સંગીત અને એવું બધું...

બે-એક વર્ષ પહેલા શરૂ કરેલા બ્લોગ અભિયાન " યુવાગીરી " નું માત્ર બે પોસ્ટ પછી બાળમરણ (જેવું) થયેલું. એટલે આ વખતે તો મનમાં ગાંઠ વાળેલી કે ઓછામાં ઓછી ત્રણ પોસ્ટ સુધી તો પહોચવું જ. પહેલી બે પોસ્ટ પછી એવી હાલત હતી કે જાણે મગજ બહેર મારી ગયું હોય. કોઈ વિચાર જ નહોતા આવતા. પણ પોલો કોએલોએ એલકેમિસ્ટ માં લખ્યું છે તેમ, 'જો કોઈ વસ્તુ ને તમે દિલથી ચાહો તો આખી સૃષ્ટિના પરિબળો તે વસ્તુ મેળવવામાં તમારી મદદે આવી જાય છે' :P,  તો આ રહી મારી "ત્રીજી" પોસ્ટ.... આમ તો અત્યારે પણ કઈ ખાસ વિચારો નથી આવતા પણ ત્રણ પોસ્ટનો બાંધી રાખેલો ટારગેટ અચીવ કરવો જરૂરી લાગતો હતો એટલે સમય મળતા જ બેસી ગયો. હમણાં મારા ફોનમાં નેવુંના દસકાનાં ગીતો ચાલે છે ( આ પ્લેલિસ્ટ નું નામ મે "Nervous 90's" રાખ્યું છે.) અને હું તેમને ખૂબ એન્જોય કરી રહ્યો છું. આજનાં ગીતો સાથે સરખામણી કરીએ તો થોડા વરસોમાં લોકોનો ટેસ્ટ ખાસ્સો એવો બદલાયો છે. 90's નાં ગીતોમાં અજબ ચુંબકત્વ છે. આ ગીતોને સાંભળીને ઘણી વખત સપનામાં ખોવાઈ જવાય છે. લગભગ દરેક લોકોએ આ અનુભવ કર્યો જ હશે. રોમેન્ટીક ગીત સાંભળતા સાંભળતા કોઈ સ

ઇશ્વરના અસ્તિત્વ વિશે અને એવું બધું....

હમણાં ટ્વિટર પર તસ્લીમા નસરીનના વિચારો જાણીને નાસ્તિક વિચારધારામાં દિલચસ્પી લેતા શીખ્યો છું. આમ તો પહેલેથી કોઈ ઈશ્વરીય શક્તિના અસ્તિત્વ વિષે મનમાં સંદેહ ખરો પરંતુ તસ્લીમા નસરીન જેવા હળાહળ નાસ્તિક બનવાની મારામાં હિમ્મત નથી. હા દરેક વાતને હમેશા તર્કથી તોળવાની ટેવ નાનપણથી જ પડેલી છે. થોડા દિવસો પહેલા હવેલીમાં દર્શન કરવા ગયો હતો. મોટી સંખ્યામાં લોકો ઠાકોરજીના દર્શન માટે એકઠા થયેલાં. દર્શન ખૂલવાને કદાચ થોડી વાર હશે એટલે પડદો બંધ હતો. જોકે સાચા ભક્ત ને દર્શન કરવા માટે કોઈ કાપડનો પડદો નડતો નથી હોતો તેમ વિચારીને અમે મિત્રોએ પડદા ને જ ઠાકોરજી માનીને પડદાનાં જ દર્શન કરી ત્યાથી 'ચાલતી પકડી'. બહાર નિકળતી વખતે મારા ઉદગાર કઈક આવા હતા, "જો ભગવાન પાસે આપણાં માટે બહુ સમય ન હોય તો આપણે પણ કઈ નવરા નથી...". હું તો ત્યાં સુધી માનું છુ કે મંદિર જવાનો ફાયદો મંદિરની બહાર રહી ને ચપ્પલ ચોરનારને જ સૌથી વધારે થતો હોય છે. એક વાત મે રૂબરૂ સાંભળી છે કે કોઈ એ મને કહી હશે તેનો ખ્યાલ નથી પણ હા, જ્યારે સેકયુલરિઝમ નો ઉલ્લેખ આવે ત્યારે આ વાત મને અચૂક યાદ આવે છે. (મે રૂબરૂ જ સાંભળી હશે તેમ માનીને આ

ફિલ્મ હિમ્મતવાલાનું ટ્રેલર અને એવું બધું...

તમન્ના ભાટિયાને રૂબરૂમાં (ઓફકોર્સ સ્ક્રીન પર) જોવા જવાની જે થોડીઘણી ઈચ્છા થઈ હતી તે ફિલ્મનું ટ્રેલર જોયા પછી મરી ગઈ. આખા ટ્રેલર માં અજય દેવગણને અન-રિયાલીસ્ટિક ફાઇટ કરતો બતાવવામાં આવ્યો છે. અને જાણે અધૂરું રહી જતું હોય તેમ છેલ્લા સીનમાં તો આખું ગાડું ઉપાડીને ગુંડાને મારતો બતાવ્યો છે. (કોઈને ગાડાએ ગાડાએ મારવાની ધમકી આપી હોય તો કેવું લાગે !! :P ) જ્યારથી બોલીવુડમાં સાઉથની ફિલ્મોનો ટ્રેન્ડ જોર પર છે ત્યારથી જાણે ક્રીએટિવિટિ મરી પરવારી હોય એવું લાગે છે (જોકે, તાજેતરમાં આવેલી સાઉથ ની ફિલ્મ વિશ્વરૂપમ જેવી ફિલ્મ બનાવતા બોલિવૂડને દશકાઓ લાગી જશે). સલમાન ખાન, અજય દેવગણ, અક્ષય કુમાર જેવા ઉચ્ચ કક્ષાના કલાકારોએ સાથે મળીને સતત એક જ થીમ બેઝ્ડ ફિલ્મોનો મારો ચલાવ્યો છે. અને આવી ફિલ્મોથી તે આમ જનતાનું દિલ જીતવામાં ખાસ્સા સફળ પણ રહ્યા છે. જોકે (થોડીક વધારે ) ઇંટેલીજેન્ટ ઓડિયન્સને પણ ક્યારેય ફિલ્મોની ઉણપ નથી થતી. છેલ્લા વર્ષમાં આવેલી ધણી હિટ નીવડેલી ફીલ્મો ક્રિએટિવલી પણ સ્ટ્રોંગ હતી. જેમકે બરફી, તલાશ, કહાની, ગેંગ્સ ઓફ વાસેપુર (1 & 2), ચક્રવ્યૂહ,અગ્નિપથ (સિનેમેટોગ્રાફી) , જબ તક હૈ જાન (ગ્રેટ લોકેશ